નવી દિલ્હીઃ Tokyo Olympics 2021 : ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જુલાઈથી થઈ રહી છે. તેનું સમાપન 8 ઓગસ્ટે થશે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે છ વખતની વિશ્વ ચેમ્પિયન બોક્સર મેરી કોમ અને પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેરી કોમ અને મનપ્રીત સિંહ ભારત તરફથી ધ્વજવાહક હોવાની જાણકારી સોમવારે ઓલિમ્પિક એસોસિએશને આપી છે. આ બન્ને સિવાય સમાપન સમારોહ માટે રેસલર બજરંગ પૂનિયાની ભારતીય દળના ધ્વજવાહક તરીકે પસંદગી કરવામાં આવી છે. 


Hockey: પકોડી વેચનાર પિતાની દીકરી બની હોકીની ઈન્ટરનેશનલ ખેલાડી, જાણો સફળતાનું રહસ્ય


પરંતુ આયોજકોએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ વેન્યૂ પર વધુમાં વધુ 10 હજાર દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી રહેશે. આયોજકોના નિવેદન અનુસાર, ઓલિમ્પિક ગેમ્સમાં દર્શકોની લિમિટ વેન્યૂ ક્ષમતાના 50 ટકા રહેશે. જેમાં વધુમાં વધુ 10 હજાર લોકો રમત જોવા સ્ટેડિયમમાં આવી શકશે. 


કોરોનાને કારણે પાછલા વર્ષે ઓલિમ્પિકનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે કોરોના પ્રોટોકોલની સાથે રમતનું આયોજન થઈ રહ્યું છે. અનેક દેશોના ખેલાડીઓ જાપાન પહોંચી ગયા છે. હવે 23 જુલાઈથી રમતના આ મહાપર્વની શરૂઆત થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube