નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિ (CoA)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)અને એશિનય ક્રિકેટ પરિષદ (ACC)ની બેઠકમાં ભાગ ન લેવાના મામલામાં બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીઓએએ ચૌધરીને પૂછ્યું કે તે જણાવે આઈસીસી અને એસીસીની બેઠકથી દૂર રહેવા પર તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે. મીડિયાની પાસે રહેલા પત્રમાં સીઓએએ ચૌધરીને કહ્યું કે, આઈસીસી અને એસીસીમાં બીસીસીઆઈના પ્રતિનિધિ હોવા છતાં પણ તેમણે સીઓએના એજન્ડાને બેઠકમાં કેમ ન ઉઠાવ્યો?


સીઓએએ ચૌધરીને કહ્યું કે, જાણ કર્યા વગર બંન્ને બેઠકોમાં સામેલ ન હોવાને કારણે બીસીસીઆઈનો કોઈપણ પ્રતિનિધિ ભાગ ન લઈ શક્યો. સીઓએએ પોતાના પત્રમાં કહ્યું કે, આઈસીસીની બેઠક આ વર્ષે 14થી 20 જુલાઈ લંડનમાં થઈ હતી, જ્યારે એસીસીની બેઠક 3 સપ્ટેમ્બરે બેંગકોંગમાં થઈ હતી. 


ચૌધરીને રવિવારથી સાત દિવસની અંદર કારણ દર્શાવો નોટિસનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. સાથે તેને પૂછવામાં આવ્યું છે કે તેની વિરુદ્ધ કેમ કાર્યવાહી ન કરવામાં આવે. 

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર