કોલકત્તા : ઋષભ પંતના ભારતના મુખ્ય ટેસ્ટ વિકેટકિપર બનવા તરફ આગળ વધી રહેલા કદમથી રિધ્ધિમાન સહાને સહેજ પણ અસુરક્ષિત નથી. તે માને છે કે પંતથી મને કોઇ ખતરો નથી અને મારી કોઇ સ્પર્ધા નથી. ભારતના બહેતરીન વિકેટકિપર સહાએ ગત વર્ષે ખભાની સર્જરીને કારણે ક્રિકેટ ટીમમાંથી બહાર આવવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇજાને કારણે સહા ટીમ ઇન્ડિયામાંથી બહાર આવ્યો અને ઋષભ પંતને સ્થાન મળ્યું તો પંતે આ દરમિયાન ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ સદી ફટકારી પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. 


સહાને આ અંગે પુછવામાં આવ્યું કે ઘણા લાંબા સમયથી તે ટીમની બહાર છે અને હવે જ્યારે પરત ફરવા ઇચ્છે છે તો શું એ પોતાને પંતથી અસુરક્ષિત માને છે? સવાલના જવાબમાં સહાએ કહ્યું કે, બિલકુલ નહીં, હું પોતાની જાતને ક્યારેય અસુરક્ષિત અનુભવતો નથી. ખેલાડી હોવાને નાતે, દરેક ક્ષણે ઇજાગ્રસ્ત થવાનો ભય સતાવતો જ રહે છે. હાલમાં લક્ષ્ય બધી રીતે ફિટ થવામાં શાનદાર ફોર્મ સાથે પરત ફરવા માટેનું જ છે. 


સહાએ 11 મુશ્તાક અલી ટ્રોફી મેચોમાં 306 રન બનાવ્યા હતા. તે 32 ટેસ્ટમાં 30.36ની સરેરાશથી ત્રણ સદી સાથે 1164 રન બનાવી ચૂક્યો છે. જોકે ક્રિકેટ એક્સપર્ટનું માનીએ તો પંતની બેટીંગ અને ફોર્મ જોતાં સહાનું ટીમમાં પરત ફરવું કઠીન લાગી રહ્યું છે. પરંતુ આ બાબતોથી સહા જરા પણ ચિંતિત નથી. તેણે કહ્યું કે, હું ઇજાને કારણે બહાર હતો. ઋષભે આ તકનો ફાયદો ઉઠાવ્યો છે અને સતત સારી બેટીંગ બતાવી છે.