નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં વાપસીનો પ્રયત્ન કરી રહેલ ક્રિકેટર સુરેશ રૈના આ સમયે એક ખાસ કારણને લીધે પરેશાન છે. જી હા, તેની પરેશાની ફિટનેસ નહીં પરંતુ બીજી છે. નોંધનીય છે કે, યૂટ્યૂબ પર કેટલાક લોકોએ વીડિયો શેર કરતા રોડ અકસ્માતમાં તેના નિધનની વાત કરી હતી. આ અફવાથી પરેશાન ક્રિકેટર સુરેશ રૈનાએ સોમવારે ટ્વીટ કરીને ફેન્સને તે અફવાને નજર અંદાજ કરવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે પોતાના ટ્વીટમાં કહ્યું- છેલ્લા થોડા દિવસથી યૂટ્યૂબ પર મારા અકસ્માતના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. આ ખોટા સમાચારથી મારો પરિવાર અને મિત્રો પરેશાન છે. મારી તમને નિવેદન છે કે આ પ્રકારના સમાચારોને નજર અંદાજ કરો. ભગવાનની કૃપાથી હું ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવાઓ ઉડાવી છે, તેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આશા છે કે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 


World Cup 2019: ટીમ ઈન્ડિયાના 'પેસ એટેક'માં આ 3 ખેલાડી, ચોથા સ્થાન માટે જંગ 

રૈનાએ ભારત માટે 226 વનડે રમી છે. આ દરમિયાન તેણે 5 સદી અને 36 અડધી સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. તેને ટી20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 78 મેચ રમી અને 1605 રન બનાવ્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર કેટલાક ખેલાડીઓમાં સામેલ છે. તેના નામે 18 ટેસ્ટમાં 1 સદી અને 7 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ કરિયરમાં તેણે 768 રન બનાવ્યા છે.