નવી દિલ્હી: આઈપીએલ રિટેંશન (IPL Retention) પુરું થઈ ચૂક્યું છે. તમામ ટીમોએ પોતાના દ્વારા રિટેન કરવામાં આવેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધું છે. હવે ક્રિકેટ ફ્રેન્સની નજર આગામી વર્ષે યોજાનાર આઈપીએલ મેગા ઓક્શન (IPL Mega Auction) પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ચેન્નાઈની ટીમે ચાર જ ખેલાડીઓને રિટેન કર્યા છે. એવામાં સીએસકેની ટીમ મેગા ઓક્શનમાં પોતાના એક જૂના ખેલાડી પર દાવ લગાવી શકે છે. આ ખેલાડી પોતાના દમ પર આખી મેચનું પાસું પલટાવવા માટે સક્ષમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CSK એ કર્યા ચાર ખેલાડીઓને રિટેન
આઈપીએલ રિટેંશનમાં સીએસકેની ટીમે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. પહેલા નંબર પર કરિશ્માઈ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ને 12 કરોડ રૂપિયામાં, સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને 16 કરોડ રૂપિયામાં, વિસ્ફોટક બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ને 6 કરોડ રૂપિયામાં અને ઈંગ્લેન્ડના વિસ્ફોટક ઓલરાઉન્ડર મોઈન અલીને 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. એવામાં ચેન્નાઈની પાસે કોઈ પણ ખતરનાક સ્પિનર નથી. આઈપીએલ મેગા ઓક્શનમાં ચેન્નાઈની ટીમ એક એવા ખેલાડીને પોતાની ટીમમાં  લેશે, જે તેમની આ કમીને પુરી કરી શકે.


શાનદાર ફોર્મમાં છે આ ખેલાડી
ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન  (Ravichandran Ashwin) હાલ શાનદાર ફોર્મમાં છે. તેના કેરમ બોલને રમવો કોઈ પણ બેટ્સમેન માટે સામાન્ય વાત નથી. તે જ્યારે પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ ધાંસુ બેટિંગ લાઈનઅપને તોડી શકે છે. આઈપીએલ 2022 ભારતમાં જ રમાવાની છે. ઈન્ડિયન પીચ હંમેશાં સ્પિનરોને મદદ કરતી હોય છે અને આ પીચો પર અશ્વિનથી ખતરનાક બોલર કદાચ જ કોઈ બીજો હોય. તેના બોલને ટર્ન કરાવવાની કલાને સો કોઈ જાણે છે. આઈપીએલ મેગા ઓક્શનમાં સીએસકેની ટીમ રવિચંદ્રન અશ્વિને ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. અશ્વિન પહેલા પણ સીએસકે તરફથી રમી ચૂક્યો છે. અશ્વિન ટી20 ક્રિકેટમાં માત્ર થોડા બોલમાં જ મેચ પલટવા માટે જાણીતો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube