નવી દિલ્હીઃ ભારતીય રમત ઈતિહાસમાં ઘણા એવા ખેલાડીઓ રહ્યાં છે જે રમતના મેદાન પર સફળતા મેળવ્યા બાદ રાજકીય પિચ પર ઉતર્યા છે. તેમાંથી ઘણા સફળ રહ્યાં તો કોઈને નિષ્ફળતા હાથ લાગી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે રાજનીતિમાં નવી ઈનિંગ શરૂ કરી છે. હકીકતમાં હરભજન સિંહને આમ આદમી પાર્ટીએ પંજાબથી રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ હાલમાં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત હાસિલ કરી છે અને પંજાબમાં રાજ્યસભાની 5 સીટો 9 એપ્રિલે ખાલી થઈ રહી છે. તે માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ આદમી પાર્ટી તરફથી હરભજન સિંહ સહિત પાંચ ઉમેદવારોને રાજ્યસભા સાંસદ બનાવવામાં આવશે. હરભજન સિંહને ઉમેદવાર બનાવવાને લઈને આમ આદમી પાર્ટી તરફથી ટ્વીટ કરવામાં આવ્યુ, જેમાં લખવામાં આપ્યું કે પોતાની બોલિંગની મદદથી ભારતીય ટીમને ગૌરવ અપાવનાર હરભજન સિંહ (મિસ્ટ ટર્બનેટર) હવે સંસદમાં પંજાબના લોકોનો અવાજ ઉઠાવશે. 


Women World Cup: પાકિસ્તાનની જીતથી ટીમ ઈન્ડિયાને થયો ફાયદો, સેમીફાઇનલની રેસ બની રોમાંચક


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube