નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019થી બહાર થી ગયો છે. તેના અંગૂઠામાં ઈજા છે. સ્ટાર બેટ્સમેન બહાર થવા પર ક્રિકેટ ફેન્સ અને પૂર્વ ક્રિકેટરોમાં નિરાશાનો માહોલ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે આ સંબંધમાં ભાવુક ટ્વીટ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટથી રાજનીતિમાં આવેલા સાંસદ ગંભીરે ટ્વીટર પર લખ્યું છે, 'તે જાણીને નિરાશા થઈ કે શિખર ધવન હવે વિશ્વકપમાં રમી શકશે નહીં. મારી સહાનુભૂતિ તારી સાથે છે ભાઈ, પરંતુ ચિંતા ન કરો, દુનિયા અહીં પૂરી થતી નથી. રિષભ પંત માટે શુભકામનાઓ. મારો આગ્રહ છે કે આપણે રિષભ પર કોઈ વધારાનો દબાવ ન નાખીએ.'


વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, ધવન-ભુવી બાદ આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત 

યુવા રિષભ પંત પહેલાથી જ ઈંગ્લેન્ડમાં ટીમની સાથે છે. ધવનના સ્થાન પર પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.