નવી દિલ્હીઃ દિલ્હી પૂર્વથી આપના ઉમેદવાર આતિશી વિરુદ્ધ લખાયેલી વિવાદાસ્પદ ચિઠ્ઠી પર રાજકીય જંગ ચાલું છે. આ વચ્ચે વિવાદમાં ક્રિકેટર હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણ પણ કૂદી ગયા છે. દિલ્હી પૂર્થથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરના સમર્થનમાં ટ્વીટ કરતા હરભજન સિંહ અને વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, ગૌતમ ક્યારેય કોઈપણ મહિલા માટે ખોટુ ન કહી શકે ભલે તે હારી કેમ ન જાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ગુરૂવારે એક પત્રકાર પરિષદમાં આતિશી અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં ગૌતમ ગંભીર તરફથી એક ખુબ અભદ્ર ચીઠ્ઠી વેંચવામાં આવી છે. તેમાં આતિશી વિરુદ્ધ ખરાબ ટિપ્પણી છે. 


ગૌતમ ગંભીરે આ આરોપો પર કહ્યું કે, જો આમ આદમી પાર્ટી આ આરોપોને સાબિત કરી દે તો તે રાજનીતિ છોડી દેશે. આ સંપૂર્ણ ઘટનાક્રમ પર હરભજન સિંહે આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, 'ગૌતમ ગંભીરને લઈને કાલે થયેલા ઘટનાક્રમ વિશે હું આશ્ચર્યમાં છું, હું તેને ઘણી સારી રીતે જાણું છું, તે મહિલાઓ વિરુદ્ધ અપશબ્દ ન બોલી શકે, તે જીતે કે હારે તે અલગ વાત છે પરંતુ આ માણસ આ તમામ વસ્તુથી ઉપર છે.'


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર