નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. પાછલા સપ્તાહે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને છૂટાછેડાના સમાચાર આપ્યા હતા. રિપોર્ટ પ્રમાણે ઘણા સમયથી બંને વચ્ચે સમસ્યા ચાલી રહી હતી. આઈપીએલની સાથે ટી20 વિશ્વકપ દરમિયાન નતાશા ક્યારેય સ્ટેડિયમમાં જોવા મળી નહીં. છૂટાછેડાની જાહેરાતના એક દિવસ પહેલા નતાશા પુત્ર અગસ્ત્યની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના દેશ સર્બિયા જતી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નતાશાની પોસ્ટ પર હાર્દિકે કરી કોમેન્ટ
છૂટાછેડા બાદ નતાશાએ સોશિયલ મીડિયા પર પ્રથમવાર કોઈ પોસ્ટ કરી છે. તેણે એક સાથે ઘણા ફોટો અપલોડ કર્યાં છે. તેમાં તે ખુદ અને પુત્ર અગસ્ત્ય પણ છે. ફોટો જોવા પર લાગી રહ્યું છે કે બંને કોઈ મ્યુઝિયમમાં ફરવા ગયા હતા. નતાશાએ ફોટોની સાથે કેપ્શનમાં દિલવાળી ઇમોજી લગાવી છે.


Shocking! ટીમ ઈન્ડિયાનો ધાકડ ક્રિકેટર 19માં માળેથી કૂદવાનો હતો, મિત્રએ કર્યો ખુલાસો


શ્રીલંકામાં છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા અત્યારે શ્રીલંકામાં છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી ત્રણ મેચની ટી20 સિરીઝ રમાવાની છે. રોહિત શર્માના સંન્યાસ બાદ હાર્દિક પંડ્યા આ ફોર્મેટમાં કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ હતો. પરંતુ તેના સ્થાને સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.