નવી દિલ્હીઃ યુવા બેટ્સમેન મયંક અગ્રવાલનું વિશ્વ કપ રમવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. તેને ભારતની વિશ્વ કપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. કર્ણાટકના આ બેટ્સમેનને ઓલરાઉન્ડર વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની પસંદગીને આઈસીસીએ મંજૂરી આપી દીધી છે. મયંક અગ્રવાલને જો વિશ્વ કપમાં રમવાની તક મળી તો તે તેની પ્રથમ વનડે મેચ હશે. 


આ પહેલા ભારતીય ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર પગના અંગૂઠામાં ઈજાને કારણે વિશ્વ કપમાંથી બહાર થઈ ગયો છે. તેને નેટ્સમાં બુમરાહનો બોલ વાગ્યો હતો. શરૂઆતમાં ઈજા ગંભીર ન હતી પરંતુ બાદમાં ગંભીર થતાં તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ પણ ગુમાવી હતી. જાણવા મળ્યું કે, તેને ફિટ થતાં ઓછામાં ઓછો ત્રણ સપ્તાહનો સમય લાગી શકે છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર