નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુવરાજ સિંહે સોમવારે મુંબઈમાં પત્રકાર પરિષદ દરમિયાન પોતાની નિવૃતીની જાહેરાત કરી હતી. આ તકે તેની સાથે પત્ની હેઝલ અને માતા પણ હાજર રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્રકાર પરિષદ દરમિયાન યુવરાજ સિંહ ભાવુક જોવા મળ્યો હતો. ત્યાં યુવરાજના ક્રિકેટ કરિયર પર એક ફિલ્મ દર્શાવવામાં આવી હતી. યુવરાજ સિંહે આ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે, આ નિવૃતી લેવાનો સૌથી સારો દિવસ હતો. એટલું નહીં તેણે જણાવ્યું કે, જ્યારે તેને કેન્સર થયું હતું ત્યારે બધાએ તેને સાથ આપ્યો હતો. 



યુવરાજ સિંહે કહ્યું કે, મેં આ રમત માટે ખૂબ પરસેવો વહાવ્યો છે અને હવે મારી પ્રાથમિકતા કેન્સર રોગિઓને મદદ કરવાનો છે. 




યુવરાજ સિંહની નિવૃતીના સમાચારો જેમ ચર્ચામાં આવ્યો તો બોલીવુડના સિતારાઓએ પણ તેને એક ખાસ સંદેશો આપતા ભવિષ્ય માટે તેને શુભકામનાઓ આપી હતી. 





આ દરમિયાન વરૂણ ધવનથી લઈને હુમા કુરૈશી, અનુપમ ખેર, નેહા ધૂપિયા, અંગદ બેદી, વિરાટની પત્ની અનુષ્કા શર્માએ યુવરાજને ટ્વીટ કર્યું હતું. 



મહત્વનું છે કે યુવરાજ સિંહે પોતાની છેલ્લી વનડે મેચ 30 જૂન 2017ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેની ધરતી પર રમી હતી. યુવરાજે અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરી 2017ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ બેંગલુરૂમાં રમી હતી.