દુબઈઃ ભારતીય ટીમ જે એક સમયે ટેસ્ટ ચેમ્પિયનશિપ (Test Championship) ની ફાઇનલની પાક્કી દાવેદર જોવા મળી રહી હતી હવે તે દોડમાં પાછળ રહેતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે ઈંગ્લેન્જ વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચમાં 227 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે અને ઈંગ્લેન્ડ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈમાં ભારતની હાર બાદ આ છે પોઈન્ટ ટેબલની તસવીર


India vs England: કેપ્ટન કોહલીએ જણાવ્યું કેમ ચેન્નઈમાં ભારતનો થયો કારમો પરાજય  


શું થશે જો ફાઇનલ ડ્રો કે ટાઈ રહે તો
જો ફાઇનલ ટાઈ કે ડ્રો રહે તો બન્ને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. પરંતુ પ્લેઇંગ કંડીશન્સમાં રિઝર્વ ડેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. આવુ ત્યારે થશે જ્યારે પાંચ દિવસના કુલ ખેલ સમયને નુકસાન થયું હોય. ટેસ્ટ મેચમાં રમતનો કુલ સમય 30 કલાક (દરરોજ છ કલાક) છે. 


આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ ટેક્યા ઘૂંટણ, ચેન્નાઈમાં 227 રનથી મળી શરમજનક હાર


રિઝર્વ ડે ત્યારે રમાશે જો નિયમિત દિવસ અંતર્ગત થયેલા નુકસાનની તે દિવસે ભરપાઈ ન થઈ શકી હોય. ઉદાહરણ માટે વરસાદને કારણે કોઈ દિવસે એક કલાકની રમત શક્ય ન બને અને તે દિવસના અંતમાં તેની ભરપાઈ કરી લેવામાં આવે તો તેને નુકસાન માનવામાં આવતુ નથી. પરંતુ વરસાદને કારણે આખા દિવસની રમત ધોવાય તો નુકસાન થાય છે અને બાકી ચાર દિવસમાં તમે માત્ર ત્રણ કલાકની રમતની ભરપાઈ કરી શકો છે તો રિઝર્વ દિવસમાં મેચ જશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube