નવી દિલ્હીઃ વિશ્વ કપ સેમિફાઇનલમાં ભારતની નિરાશાજનક હાર બાદ ગાયકલતા મંગેશકરે ટ્વીટ કરી ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ પ્રશંસકોનો જુસ્સો વધાર્યો છે. લતાજીએ પોતાના અવાજમાં ગુલઝાર સાહેબે લખેલા એક ગીતને ટીમ ઈન્ડિયાને સમર્પિત કરતા ટ્વીટ કર્યું, 'કાલે ભલે આપણે જીતી ન શક્યા પરંતુ આપણે હાર્યા નથી. ગુલઝાર સાહેબે ક્રિકેટ માટે લખેલુ આ ગીત હું આપણી ટીમને સમર્પિત કરુ છું. લતા મંગેશકરે ટ્વીટની સાથે પોતાને ગાયેલા ગીતની લિંક પણ શેર કરી છે, જેના બોલ છે- આકાશ કે ઉસ પાર ભી આકાશ હૈ.'


વાંચો સ્પોર્ટસના અન્ય સમાચાર