India vs Australia T20 2022: ટી20 વર્લ્ડ કપ 2022 પહેલાં ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ ટી20 મેચોની સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમને પ્રથમ મેચમાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટી20 મેચ નાગપુરના મેદાનમાં રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ સીરીઝમાં 1-1 થી બરાબરી કરવા માંગે છે. 
 
ભીની આઉટ ફીલ્ડના લીધે ટોસમાં મોડું થયું હતું. હવે સાત વાગ્ય પણ ટોસ થઇ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટોસનો સમય સાંજે 6.30 વાગે નિર્ધારિત સમય હતો. વરસાદની આશંકાને લીધે મેચ ધોવાવવાની સંભાવના છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ પર વરસાદના વિઘ્નના વાદળો છવાયેલા છે. નાગપુર ટી20 મેચ હવે 8-8 ઓવરની હશે. તેમાં 2 ઓવરનો પાવર પ્લે હશે. તો બીજી તરફ એક બોલર મેક્સિમમ 2 ઓવર કરી શકશે. બીજી ટી20નો ટોસ 9:15 વાગે થશે. તો બીજી તરફ 9:30 વાગે મેચ શરૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીરીઝ બરાબરી કરવા ઉતરશે ટીમ ઇન્ડીયા
નાગપુરમાં યોજાનારી બીજી ટી20 મેચને જીતીને ટીમ ઇન્ડીયા સીરીઝ બરાબરી કરવા માંગશે. પહેલી મેચમાં હાર્દિક પંડ્યાએ તાબડતોડ 71 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ એકવાર ફરી મોટી ઇનિંગ રમશે એવી આશા છે. 


બોલરો પર રહેશે મહત્વપૂર્ણ જવાબદારી
પહેલી ટી20 મેચમાં ભારતીય બોલરોએ ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ વખતે જો ભારતીય ટીમને જીતનો સ્વાદ ચાખવો છે, તો બોલર્સને દમ બતાવવો પડશે. 


સીરીઝમાં પાછળ છે ભારતીય ટીમ
પહેલી ટી20 મેચમાં ટીમ ઇન્ડીયાએ 208 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો હતો. પરંતુ બોલરોના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ તોફાની ઇનિંગ રમી બધાના દિલ જીતી લીધા હતા. બંને બોલરોએ ફાફ સેંચુરી ફટકરી હતી. પરંતુ ભારતીય બોલર્સે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.