IND vs AUS 4th Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ચાર મેચની બોર્ડર ગાવસ્કર શ્રેણીમાં ભારત હાલમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે, તો જ તે આ શ્રેણી પર કબજો કરશે. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત નિશ્ચિત થઈ જશે, પરંતુ તેના માટે રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ 4 મોટા કામ કરવા પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. પ્રથમ દાવમાં મોટો સ્કોર
જો ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી હોય તો પ્રથમ દાવમાં બેટિંગ કરતા મોટો સ્કોર કરવો પડશે. ઈન્દોરમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેણે તેની હારનો પાયો નાખ્યો હતો. અમદાવાદ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ આ મોટી ભૂલથી બચવું પડશે. અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા જેટલો મોટો સ્કોર કરશે એટલું જ બોલરોને આક્રમણ કરવાની તકો વધુ રહેશે.


આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો:
 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
​આ પણ વાંચો: Holika Dahan 2023: હોલિકા દહન પછી ઘરે આવીને પહેલું કરજો આ કામ નહીં તો થશે ધનહાનિ


2. જાડેજા, અશ્વિને વધુ ઓવર કરવી પડશે
જો ટીમ ઈન્ડિયાને અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી હોય તો રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનું ચાલવું ખૂબ જ જરૂરી છે. રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા ભારતના સૌથી મોટા વિકેટ લેનાર બોલર છે. આવી સ્થિતિમાં સુકાની રોહિત શર્માએ પોતાના શ્રેષ્ઠ બોલર રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને વધુમાં વધુ ઓવર આપવી પડશે. ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનને બોલિંગ કરવામાં એક કલાક મોડું કર્યું હતું. ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે રવિચંદ્રન અશ્વિને દિવસની તેની પ્રથમ ઓવર માટે લગભગ એક કલાક રાહ જોવી પડી હતી, જેના કારણે પીટર હેન્ડ્સકોમ્બ અને કેમરોન ગ્રીન જામી ગયા હતા અને તેઓએ સાથે મળીને 40 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવના આધારે ભારત સામે 88 રનની કુલ લીડ લેવામાં સફળ રહ્યું હતું. અમદાવાદ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ આ મોટી ભૂલથી બચવું પડશે.


​આ પણ વાંચો: જાણો તરબૂચ ખાવાના ફાયદા: સ્ત્રીઓ માટે વરદાન તો પુરૂષો માટે પરમેશ્વર સમાન છે તરબૂચ
​આ પણ વાંચો: આ કારણોસર વાહનનો વીમો નહીં થાય પાસ, વાહનમાલિકોએ પાળવા પડશે આ ખાસ નિયમો
​આ પણ વાંચો: Smartphone માં આ 5 ફીચર્સ ના હોય તો ભૂલથી પણ ના ખરીદતા! તમારા પૈસા ડૂબી જશે


3. વધારાના રનને કાબૂમાં રાખવા
જો ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી હોય તો એક્સ્ટ્રાના રન લૂંટાતાંની ભૂલથી બચવું પડશે. ઈન્દોર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે 23 વધારાના રન આપ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની ઈન્દોર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ 9 બાય, 9 લેગ બાય અને 5 નો બોલના રૂપમાં વધારાના રન આપ્યા હતા. રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે પીચ પર રફને નિશાન બનાવીને બોલને ટપ્પો આપતા રહેવું પડશે.


​આ પણ વાંચો: Holi 2023: ભૂલી જાઓ જૂના કપડાં, હવે આ કપડા પહેરીને હોળીમાં દેખાશો સ્ટાઈલીશ, વટ પડશે
આ પણ વાંચો: કાળા મરીની ખેતી બનાવશે માલામાલ, ઓછા ખર્ચમાં વધુ નફો થશે; જાણો કેવી રીતે
આ પણ વાંચો:
  હવામાં ઉડીને આવ્યું છે આ જૈન મંદિર, ખોદકામ વખતે મળ્યો નહી પાયો, વૈજ્ઞાનિકો ચોંકી ગયા


4. DRS લેવામાં ચતુરાઈ
જો ટીમ ઈન્ડિયાએ અમદાવાદ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવી હોય તો DRS લેવામાં હોશિયારી બતાવવી પડશે. ઈન્દોર ટેસ્ટ મેચમાં DRS લીધા બાદ ટીમ ઈન્ડિયાને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. ટર્નિંગ પીચ પર દરેક બોલ પર કંઈક ને કંઈક થશે, પરંતુ ટીમ ઈન્ડિયાએ DRS લેવામાં હોશિયારીનો ઉપયોગ કરવો પડશે. ઈન્દોર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ તેના ત્રણેય રિવ્યુ ગુમાવ્યા હતા, તેથી તેણે આ સ્થિતિથી બચવું પડશે. કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટેસ્ટમાં DRS લેવાનો નિર્ણય ખૂબ જ સાવધાનીથી લેવો પડશે. રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલે DRS લેવામાં ધીરજ રાખવી પડશે.


આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: Isha Ambani House: 450 કરોડ રૂપિયા છે ઈશા અંબાણીના આલીશાન ઘરની કિંમત, 3D ડાયમંડ થીમમાં કરાયું છે ડિઝાઇન ; જુઓ અંદરના ફોટા
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube