IND vs IRE T20: ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટી20 સીરિઝની આજે પહેલી મેચ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો છે. ત્યારે ટીમ ઇન્ડિયાએ આ મેચમાં અનુભવી બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઇન્ગ ઇલેવનમાં સામેલ કર્યો નથી. સંજુને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવાને લઇને ફેન્સ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંજુના ફેન્સ રિષભ પંતની સાથે સાથે બીસીસીઆઇને પણ ટ્રોલ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયા ડબલિનમાં ટી20 સીરિઝની પહેલી મેચ રમશે. પરંતુ આ મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ છે.


ટીમ ઇન્ડિયાએ ડબલિનમાં ટી20 મેચ માટે ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા છે, પરંતુ સંજુને તેમાં જગ્યા આપવામાં આવી નથી. જે સંજુના ફેન્સને ગમ્યું નથી. ફેન્સે બીસીસીઆઇને ટ્વિટર પર આડે હાથ લીધું છે. તેમણે બીસીસીઆઇ અને રિષભ પંતને ટ્રોલ કર્યા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube