IND vs NZ 2nd Test, India Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો 24 ઓક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસિસોએશન સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં કીવી ટીમે 8 વિકેટે જીત મેળવી હતી. તેવામાં ટીમ ઈન્ડિયાએ બીજી મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. જાણો બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરફરાઝે વધારી રોહિત-ગંભીરની ચિંતા
ટેસ્ટ ટીમમાં ત્રીજા ક્રમે રમનાર ગિલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં બહાર રહ્યો હતો. તે બીમાર હતો. પરંતુ હવે તે ફિટ થઈ ગયો છે. પ્રથમ ટેસ્ટમાં ગિલની જગ્યાએ સરફરાઝ ખાનને સામેલ કરવામાં આવ્યો હતો. સરફરાઝે બીજી ઈનિંગમાં શાનદાર 150 રન ફટકાર્યા હતા. તેવામાં હવે ગિલની વાપસી કઈ રીતે થશે તેને લઈને સવાલ ઉભો થયો છે.


સુંદર ટીમમાં થયો સામેલ
પ્રથમ ટેસ્ટમાં ભારતની હાર બાદ બીસીસીઆઈએ અચાનક ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર કર્યો છે. સ્પિન ઓલરાઉન્ડર વોશિંગટન સુંદરને બીજી ટેસ્ટ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આર અશ્વિન સંપૂર્ણ રીતે ફિટ નથી. તેવામાં સાવચેતીના ભાગ રૂપે સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ પંતની સિક્સથી મેચ હારી ટીમ ઈન્ડિયા, પૂર્વ ક્રિકેટરે કર્યો મોટો ખુલાસો


બીજી ટેસ્ટમાં શું થઈ શકે છે ફેરફાર? 
બીજી ટેસ્ટમાં શુભમન ગિલની વાપસી નક્કી માનવામાં આવી રહી છે. તે ત્રીજા નંબરે રમતો જોવા મળશે. ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ વોશિંગટન સુંદરને તક મળી શકે છે. તો કેએલ રાહુલને બહાર કરવામાં આવી શકે છે. તેવી પણ સંભાવના છે કે ભારત પુણે ટેસ્ટમાં ચાર બોલર સાથે ઉતરે. તેવામાં રાહુલ અને સરફરાઝ બંને અંતિમ ઈલેવનમાં હોઈ શકે છે. 


બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવનઃ યશસ્વી જાયસવાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ/વોશિંગટન સુંદર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.