નવી દિલ્હીઃ India vs South Africa Cape Town Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ 11 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. આ મુકાબલો નિર્ણાયક સાબિત થશે. જોહનિસબર્ગમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા હવે અંતિમ ટેસ્ટ મેચ જીતવાના ઈરાદાથી ઉતરશે. તે માટે ભારતીય ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સાથે-સાથે કોચ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીની ફિટનેસને લઈને નિવેદન આપ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયાના ખેલાડી અભ્યાસ કરી રહ્યા છે. તે આગામી મુકાબલો કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમની તસવીર સાથે ટ્વીટ કર્યુ- અમે અહીં ખુબસુરત કેપટાઉનમાં છીએ. ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટની તૈયારી શરૂ કરી દીધી છે. 


29 વર્ષનો આ ખેલાડી તોડશે Rohit Sharma નું સપનું, Virat Kohli બાદ જલદી બનશે નવો ટેસ્ટ કેપ્ટન!


ભારતીય ટીમ શનિવારે કેપટાઉન પહોંચી હતી. ભારત બીજી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઉતરી હતી અને કોચ દ્રવિડે આશા વ્યક્ત કરી હતી કે તે નિર્ણાયક મેચ માટે ફિટ થઈ જશે. કોહલીની ગેરહાજરીમાં કેએલ રાહુલે ટીમની કમાન સંભાળી હતી. 


ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું ત્રીજી ટેસ્ટમાં રમવુ શંકાસ્પદ છે. બીજી ટેસ્ટ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના સ્થાને ઈશાંત શર્મા કે ઉમેશ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube