નવી દિલ્હી: ભારત-ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ (India vs New Zealand T20 Series) ની ત્રીજી અને છેલ્લી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ (Eden Gardens) ખાતે રમાઈ. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 73 રનથી હરાવી દીધુ. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી ન્યૂઝીલેન્ડને 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમને જીતવામાં સફળતા મળી નહીં. ભારતે સિરીઝમાં ન્યૂઝીલેન્ડની ટીમને ક્લીન સ્વીપ કરવામાં સફળતા મેળવી. 


111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ ન્યૂઝીલેન્ડની ટીમ
ભારતે આપેલા 185 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી ન રહી. ત્રીજી ઓવરના પહેલા બોલમાં જ ન્યૂઝીલેન્ડની વિકેટ પડી ગઈ. ડેરિલ મિશેલ 5 રનના અંગત સ્કોર પર અક્ષર પટેલની બોલિંગમાં હર્ષલ પટેલે કેચ આઉટ થયો. અક્ષર પટેલે એક જ ઓવરમાં ન્યૂઝીલેન્ડને બે ઝટકા આપી દેતા ન્યૂઝીલેન્ડ મુસીબતમાં આવી ગયું. ત્યારબાદ નિયમિત સમયાંતરે વિકેટો પડતી ગઈ અને ન્યૂઝીલેન્ડની મેચમાં પાછા ફરવાની આશા ઠગારી નીવડી. ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન માર્ટિન ગુપ્ટિલે 36 બોલમાં 51 રન કર્યા. ભારત તરફથી અક્ષર પટેલે 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી. જ્યારે હર્ષલ પટેલે 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી. યુજવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લીધી. વેંકટેશ ઐય્યરે 3 ઓવરમાં 12 રન આપી એક વિકેટ લીધી. દિપક ચહર ખર્ચાળ બોલર સાબિત થયો જેણે 2 ઓવરમાં 25 રન આપ્યા. ચહરે 2.2 ઓવરમાં 26 રન આપી એક વિકેટ લેવામાં સફળતા મેળવી. ન્યૂઝીલેન્ડની આખી ટીમ 17.2 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારત આ ત્રીજી અને અંતિમ મેચ 73 રનથી જીતી ગયું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube