મુંબઈઃ લદ્દાખની ગલવાન ઘાટીમાં આ સપ્તાહની શરૂઆતમાં ચીન તરફથી ભારતના સૈનિકો પર ષડયંત્રથી કરવામાં આવેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મોટો નિર્ણય કરી શકે છે. બંન્ને દેશોના તણાવ વચ્ચે ભારતમાં ચીન વિરોધી ભાવનાઓને જોતા જાણીતી ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોને આઈપીએલનું વર્તમાન ટાઇટલ સ્પોન્સર બનાવી રાખવાના નિર્ણયની બીસીસીઆઈ સમીક્ષા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીસીસીઆઈની ઈન્ડિયન પ્રીમિયર લીગના ટ્વીટર હેન્ડલથી શુક્રવારે રાત્રે ટ્વીટ કરવામાં આવ્યું, 'સરહદ પર ઝડપમાં આપણા બહાદુર જવાનોની શહીદીને ધ્યાનમાં રાખતા આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે ટૂર્નામેન્ટની વિભિન્ન સ્પોન્સરશિપ ડીલની સમીક્ષા કરવા માટે આગામી સપ્તાહે એક બેઠક બોલાવી છે.' ભારત-ચીન સરહદ પર ચાર દાયકા વધુ સમયમાં આ પ્રથમ ઝડપ હતી, જેમાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયા હતા. બીસીસીઆઈને વીવો પાસેથી વાર્ષિક 440 કરોડ રૂપિયા મળે છે. 2022માં બીસીસીઆઈ અને વીવો વચ્ચે પાંચ વર્ષનો કરાર પૂરો થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર