નવી દિલ્હી: ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના ખેલાડીઓને હંફાવવા મથી રહી છે. પરંતુ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડનું પલ્લું ભારે છે. ગત સપ્તાહે એજબેસ્ટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત માટે જીતની આશા બંધાઇ હતી. જોકે છેલ્લે ટીમ ઇન્ડિયાનો ધબડકો થતાં 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ પ્રથમ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર બેટીંગ જોતાં ઇંગ્લેન્ડ ટીમમાં સન્નાટો ફેલાઇ ગયો છે. વિરાટને કાબુમાં રાખવા માટે ટીમ ઇંગ્લેન્ડે ખાસ પ્લાન બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટના ઉત્કૃષ્ઠ ફોર્મને જોતાં અંગ્રેજી ખેલાડીઓમાં ખોફનો માહોલ છે. વિરાટે દરેક બોલરને પાણી પીતા કરી દીધા હતા. જેને પગલે ગુરૂવારથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચને લઇને ટીમ ઇંગ્લેન્ડ વિરાટ માટે ખાસ પ્લાન બનાવી રહી છે. 


ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે સ્કાઇ સ્પોર્ટ્સ પર લખ્યું છે કે, પહેલી ઇનિંગમાં કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. પરંતુ અમારા બોલરોએ પણ મહેનત કરી હતી. અમે કેટલીક તક ગુમાવી હતી પરંતુ ઇન્ડિયા એનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું. અમારા માટે આ ફાયદારૂપ બન્યું. જોકે હવે અમે વધુ સતર્ક રહેવા પ્રયાસ કરીશું.