હેમિલ્ટનઃ ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં છેલ્લી ત્રણ મેચ (ચોથી અને પાંચમી ટી20 તથા પ્રથમ વનડે)માં ભારતીય ટીમ નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી શકી નથી. ચોથી અને પાંચમી ટી20 મેચ બાદ પણ આઈસીસીએ ભારતીય ટીમને સ્લો ઓવર રેટ માટે દંડ ફટકાર્યો હતો. તો હવે આજે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી મેચ બાદ પણ આઈસીસીએ સ્લો ઓવર રેટ માટે ભારતીય ટીમ પર મેચ ફીના 80 ટકાનો દંડ ફટકાર્યો છે. ભારતીય ટીમે આજે નિર્ધારિત સમયમાં ચાર ઓવર ઓછી ફેંકી હતી. મહત્વનું છે કે આ મેચમાં ભારતીય ટીમે 4 વિકેટે પરાજયનો પણ સામનો કરવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ગુનો અને પ્રસ્તાવિત સજાનો સ્વીકાર કરી લીધો જેથી ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી. 


Ind vs NZ: ભારતને હરાવી ન્યૂઝીલેન્ડે રચ્ચો ઈતિહાસ, મેળવ્યો સૌથી મોટો વિજય

ચોથી-પાંચમી ટી20 મેચમાં પણ ભારત દંડાયું
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ચોથી ટી20 મેચમાં નિર્ધારિત સમય કરતા બે ઓવર ઓછી ફેંકી હતી ત્યારે આઈસીસીએ મેચ ફીના 40 ટકાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ પાંચમી અને અંતિમ ટી20 મેચમાં ભારતીય ટીમે એક ઓવર ઓછી ફેંકી હતી.  


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર