`ટીમ ઈન્ડિયા માટે બોજ છે આ ખેલાડી, ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ` જાણો કોણે કયા ખેલાડી માટે કહ્યું?
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 76 રનથી મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાની ચારેબાજુ ટીકા થઈ રહી છે. ભારતની બેટિંગ લાઈન અપ ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખુબ નબળું જોવા મળ્યું. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને બોજો ગણાવી દીધો.
લીડ્સ: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં એક ઈનિંગ અને 76 રનથી મળેલી શરમજનક હાર બાદ ટીમ ઈન્ડિયાની ચારેબાજુ ટીકા થઈ રહી છે. ભારતની બેટિંગ લાઈન અપ ખરાબ રીતે ફ્લોપ થઈ રહી છે. ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખુબ નબળું જોવા મળ્યું. ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીને બોજો ગણાવી દીધો.
ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડી બોજો
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઈન્ડિયાને મોટી સલાહ આપી છે. માઈકલ વોને ક્રિકબઝ પર વાત કરતા કહ્યું કે રહાણે ટીમ ઈન્ડિયા માટે બોજો બની ગયો છે. આ અગાઉ ઈંગ્લેન્ડે જે પ્રકારે ડામિનિક સિબ્લે અને જેક ક્રાઉલીને ટીમમાંથી બહાર કર્યા હતા, તે જ રીતે ભારતે પણ પોતાની ટીમમાં ફેરફાર કરવો જોઈએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube