અમદાવાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સીરિઝ આજથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. આ મેચની શરૂઆત પહેલા ભારતીય ખેલાડીઓએ એક મિનિટનું મૌન પાળીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ લતા દીદીના સન્માનમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને આ મેચમાં રમવા ઉતર્યા છે.


ઉલ્લેખનીય છે કે, ભારત રત્ન એવોર્ડ વિજેતા સ્વર કોકિલ કંઠી લતા મંગેશકરનું રવિવારે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. લતા દીદીના નિધન પર આખો દેશ શોકના દરિયામાં ડૂબી ગયો છે. રાજનીતિ, ફિલ્મ અને રમતગમત સાથે જોડાયેલા લોકો લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube