નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત 19 જુલાઈએ કરવામાં આવશે પરંતુ ત્રણ ઓગસ્ટથી શરૂ થઈ રહેલી નિર્ધારીત ઓવરની સિરીઝ માટે એમએસ ધોનીના ભવિષ્યને લઈને હજુ કંઇ સ્પષ્ટ થયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપની સેમિફાઇનલમાં નવ જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે થયેલા પરાજય બાદ ધોનીના ભવિષ્યને લઈને ચર્ચા શરૂ થઈ હતી. આશા છે કે 38 વર્ષનો આ વિકેટકીપર બેટ્સમેન કેટલાક દિવસમાં નિવૃતીની જાહેરાત કરી દેશે. 


બીસીસીઆઈના એક અધિકારીએ પ્રશાસકોની સમિતિ (સીઓએ) સાથે મુલાકાત બાદ પીટીઆઈને કહ્યું, 'પસંદગીકારો મુંબઈમાં 19 જુલાઈએ બેઠક કરશે. અમે હજુ ધોની પાસેથી કંઇ સાંભળ્યું નથી, પરંતુ ખેલાડી અને પસંદગીકાર વચ્ચે શું વાતચીત થશે તેનું મહત્વ છે.' જો તમે મને પૂછશો કે તો ધોનીએ વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કર્યું છે. માત્ર તે નિર્ણય કરી શકે છે તેણે આગળ રમવું છે કે નહીં. 

World Cup 2019: કુલદીપના 'ડ્રીમ બોલ'થી લઈને સ્ટાર્કનો ખરતનાક 'યોર્કર' આ છે ટૂર્નામેન્ટના ટોપ-5 બોલ

કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રણ-ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝમાંથી આરામ આપવાની સંભાવના છે, જ્યારે બંન્ને 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં વાપસી કરી શકે છે. 


ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની ઉપલબ્ધતા વિશે હજુ સત્તાવાર રીતે કોઈ માહિતી સામે આવી નથી. ધવન ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો હતો.