નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ સોમવારે (29 જુલાઇ) ના રોજ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે રવાના થઇ. ટીમના રવાના થતાં પૂર્વે કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં વિરાટને સૌથી વધુ સવાલ રોહિત શર્મા સાથેના અણબણ અંગે પુછાયા. જોકે વિરાટે આ વાતને નકારી કાઢી. કોચ રવિ શાસ્ત્રીએ પણ આ વાતને બકવાસ ગણાવ્યો. ટીમ રવાના થાય એ પૂર્વે વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની એક તસ્વીર શેયર કરી. જેમાં રોહિત શર્મા ન હતો. જેની ગણતરીની મિનિટોમાં વાઇસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પણ એક ફોટો શેયર કર્યો અને લખ્યું કે આ ટીમને તે મિસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ (Team India) સોમવારે મુંબઇથી અમેરિકા જવા માટે રવાના થઇ. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ બે મેચ અમેરિકામાં રમશે. આ બંને ટીમ અહીં લોડરહિલમાં ટી20 મેચ રમશે. ત્યાર બાદ બાકીની છ મેચ વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. વિંડિઝમાં એક ટી20, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ રમાશે. 


ભારતીય ટીમની રવાનગી પહેલા કેપ્ટ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં કેએલ રાહુલ, કુણાલ પંડ્યા સહિત ઘણા ખેલાડીઓ દેખાય છે. કોહલીએ લખ્યું કે તે અમેરિકા માટે ઉડાન ભરવા માટે તૈયાર છે. વિરાટ કોહલીએ ટ્વિટર પર પણ આ ફોટો શેયર કર્યો. 


લેટેસ્ટ સ્પોર્ટ્સ ન્યૂઝ જાણો એક ક્લિક પર