Indian Cricket Team: ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે. T20 ટીમમાંથી રોહિત શર્મા અને વિરાટ કોહલીની છુટ્ટી નિશ્ચિત છે. ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત એક-બે દિવસમાં થઈ શકે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને T20 ટીમની બહાર કરવામાં આવી શકે છે. આગામી 24 કલાક ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે હાલમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના પુનર્ગઠનમાંથી પસાર થઈ રહી છે. અમારી ટીમમાં ઘણા પ્રતિભાશાળી ક્રિકેટરો છે. પરંતુ તેઓએ ધીરજથી કામ લેવાની જરૂર છે. કોચ દ્રવિડના ઈશારાથી સ્પષ્ટ હતું કે રોહિત, વિરાટ અને કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓ ભવિષ્યમાં ભારતની T20 ટીમનો ભાગ નહીં હોય. આ સિવાય હાર્દિક પંડ્યાને T20 ટીમનો નિયમિત કેપ્ટન બનાવવામાં આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી T20 સિરીઝ શરૂ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Post Officeમાં રોકાણ છે તો આટલા મહિનામાં જ થઈ જશે ડબલ, ગેરંટી સાથે મળશે મોટો નફો


વૈશ્વિકફલક પર મારુતિ સુઝુકીએ વગાડ્યો મેક ઈન ઈન્ડિયાનો ડંકો! અનેક દેશોમાં મોકલી ગાડીઓ


નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!


રોહિતની ઉંમર અને ફિટનેસ:
રોહિત શર્મા વર્તમાન ભારતીય T20 ટીમમાં ફિટ નથી બેસતો, જેના માટે તેની વધતી ઉંમર જવાબદાર છે. હિટમેન હવે 35 વર્ષનો છે. તાજેતરમાં રોહિત T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો. T20 મેચોની છેલ્લી 10 ઇનિંગ્સમાં તે માત્ર એક જ અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં પણ તેનું પ્રદર્શન ધૂંધળું રહ્યું હતું. હવે રોહિતની ફાસ્ટ બેટિંગ નબળી પડી ગઈ છે. તે પહેલાની જેમ બોલરો પર વર્ચસ્વ જમાવી શકતો નથી. આ તમામ કારણોને જોતાં ટીમ મેનેજમેન્ટ રોહિતને T20 ક્રિકેટમાં ભવિષ્યની યોજનાઓમાં સામેલ રાખવા માંગતું નથી.


વિરાટની સ્લો બેટિંગનું કારણ:
છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે T20માં ઝડપી બેટિંગ કરવાને બદલે વિરાટ કોહલી ખૂબ જ ધીમી શરૂઆત કરે છે. શરૂઆતમાં તેની એવરેજ પ્રતિ બોલ રનની છે. જો કે તે છેલ્લે પોતાનો સ્ટ્રાઈક રેટ સુધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ હાલમાં ભારતીય ટીમના અન્ય ક્રિકેટર T20માં વિરાટ કરતા વધુ ઝડપી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે T20 ટીમના ભાવિ પ્લાનમાં વિરાટ કોહલીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ટીમ ઈન્ડિયામાં તેની જગ્યાએ ઘણા યુવા બેટ્સમેનને અજમાવી શકાય છે.


GPay, Paytm કે PhonePe સહિતની UPI Apps થી તમે એક દિવસમાં રૂપિયા કરી શકો છો ખર્ચ?


તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય તો પણ તમને ગ્રેચ્યુટી મળશે? ખાસ જાણો આ નિયમ


Bank Account News: એકથી વધુ બેંકમાં ખાતું ખોલાવશો તો થશે મોટું નુકસાન