સિડનીઃ બુધવારે દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આચરેકર સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો મેન્ટોર રહ્યાં હતા. આચરેકરના નિધન પર ઘણા ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ આચરેકરને શ્રદ્ધાંજલિ આપી છે. 


ભારતીય ટીમ આર્મ્સ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ વાતની ખાતરી કરી કે, કોહલીની આગેવાનીમાં ટીમ આચરેકરના સન્માનમાં ઉતરી છે. બોર્ડે ટ્વીટ કર્યું, રમાકાંત આચરેકરના નિધન પર પોતાનું સન્માન વ્યક્ત કરતા ભારતીય ટીમના ખેલાડી આજે મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા. 


સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકરનું નિધન