નવી દિલ્હીઃ આઈપીએલ 2022ની હરાજીમાં શ્રેયસ અય્યર પર પૈસાનો વરસાદ થયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે અય્યરને 12.25 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. શ્રેયસ અય્યર આઈપીએલ 2022માં કોલકત્તાની કમાન સંભાળી શકે છે. શ્રેયસ અય્યર આ પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રહી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રેયસ અય્યરને લાગ્યો જેકપોટ
ભારતના સ્ટાર બેટર શ્રેયસ અય્યર પર દરેકની નજર હતી, બે કરોડથી તેની બોલી શરૂ થઈ હતી. બેંગલુરૂ, કોલકત્તાએ શરૂઆતમાં શ્રેયસ અય્યર માટે મોટી બોલી શરૂ કરી હતી. ત્યારબાદ કેકેઆરે અન્ય ટીમોને માત આપી અય્યરને 12.25 કરોડ રૂપિયાની મોટી રકમ આપી પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. કોલકત્તાનો પ્લાન અય્યરને કેપ્ટન બનાવવાનો છે. 


આઈપીએલ ઓક્શનની તમામ વિગતો જાણવા ક્લિક કરો


શાનદાર ફોર્મમાં છે શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે પોતાની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સને ફાઇનલમાં પહોંચાડી હતી. વર્ષ 2021માં અય્યર માત્ર બીજા હાફમાં રમી શક્યો હતો અને તેણે આઠ મેચોમાં175 રન બનાવ્યા હતા. મેગા ઓક્શન પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 80 રન બનાવ્યા હતા. અય્યરની બેઝ પ્રાઇઝ બે કરોડ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube