ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન આ ભારતીય ખેલાડી પર ઓળઘોળ, કહ્યું- ટીમ ઈન્ડિયાના પસંદગીકારો તેના પર નજર રાખે
ઈજા અને લાંબા રીહેબ બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન સાથે મેદાન પર વાપસી કરી રહેલા એક ભારતીય ખેલાડી પર પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન વારી ગયા છે.
નવી દિલ્હી: ઈજા અને લાંબા રીહેબ બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝન સાથે મેદાન પર વાપસી કરી રહેલા એક ભારતીય ખેલાડી પર પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન વારી ગયા છે. તેના પ્રદર્શનને જોતા તેઓ ખુબ પ્રભાવિત થયા અને ભારતીય પસંદગીકારોને કહ્યું કે તેમણે આ ડાબેરી બોલર પર નજર રાખવી જોઈએ.
આઈપીએલની 15મી સીઝનમાં ટી નટરાજને પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું છે. નટરાજન ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમે છે. તેણે શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચમાં ચાર ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. વોને ક્રિકબઝ પર કહ્યું કે ભારતે જોતા મને લાગે છે કે જો તેઓ તેના પર નજર નહીં રાખે તો તેઓ મૂરખ હશે. વોને વધુમાં કહ્યું કે જો તેઓ ભારતીય પસંદગીકર્તા હોત તો નટરાજન પર નીકટથી નજર રાખી રહ્યા હોત. તેમણે કહ્યું કે અનેક સારી ટી20 ટીમો પાસે પોતાના એટેકમાં ડાબેરી ફાસ્ટ બોલર છે. જો હું એક ભારતીય પસંદગીકર્તા હોત તો હું તેના પર બાજ નજર રાખી રહ્યો હોત.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube