નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ડિયન પ્રિમિયર લીગ 2021 ને રદ કરી દીધી છે. કોરોના વાયરસના વધતા કેસને પગલે આ નિર્ણય લેવાયો છે. આઈપીએલના અનેક ખેલાડીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ બોર્ડ તરફથી આ નિર્ણય લેવાયો છે. વધતા કેસને જોતા ભારતીય અને વિદેશી ખેલાડીઓ ટુર્નામેન્ટમાંથી હટવાનું વિચારી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે પહેલા કોલકારા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થનારી મેચને કોરોનાના કેસને પગલે ટાળવામાં આવી હતી. આ મેચ અમદાવાદમાં રમાનાર હતી પરંતુ કોલકાતાની ટીમના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર સંદીપ વોરિયર કોવિડ-19 પોઝિટિવ આવ્યા હતા. 


આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યાં મુજબ મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહા પણ કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો. બીસીસીઆઈના અનેક ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. 


Corona Crisis: લોકડાઉનમાં જ્યારે શાળાઓ બંધ હોય તો કેટલી ફી ભરવી પડશે? સુપ્રીમ કોર્ટે આપ્યો આ ચુકાદો


Mahoba: જબરી હોશિયાર દુલ્હન, છેલ્લી ઘડીએ એક એવી ટ્રિક વાપરીને દુલ્હેરાજાનું જુઠ્ઠાણું બહાર પાડ્યુ, લગ્ન ફોક


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube