IPL 2022 MS Dhoni: મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે આઇપીએલ સીઝનની 68 મી મેચ રમાવવા જઈ રહી છે. જો કે, સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે, આઇપીએલ કરિયરમાં એમએસ ધોનીની આ છેલ્લી મેચ હોઈ શકે છે. ત્યારે આ મેચમાં ક્રિકેટ ફેન્સની નજર સીએસકેના કેપ્ટન એમએસ ધોની પર હશે.


આઇપીએલની હાલની સીઝન દરમિયાન જ્યારે એમએસ ધોનીએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી ત્યારબાદ તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ 2023 માં સીએસકે માટે રમશે. તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે, તમે મને પીળી જર્સીમાં જોશો, પરંતુ જર્સીનો રંગ શું હશે તેના પર કશું કહી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, ધોનીએ વર્ષ 2020 માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. પરંતુ તેમણે આઇપીએલમાં સીએસકે માટે રમવાનું ચાલું રાખ્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube