નવી દિલ્હી: શ્રીલંકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનર ઈશાન કિશાન બેટથી કંઈ વધારે પ્રદર્શન કરી શક્યો નહોતો. પહેલી મેચનો હીરો ઈશાન બીજી મેચમાં માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો. ઈશાનને લાહિરૂ કુમારાએ કેપ્ટન દસુન શનાકાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.


ઈશાનની નાનકડી ઈનિંગ દરમિયાન ઈશાન કિશનને અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે લાહિરૂ કુમારાનો બાઉન્સર બોલ ઈશાન કિશનના માથા પર લાગ્યો હતો. બોલ વાગ્યા બાદ ઈશાન હેલમેટ ઉતારીને જમીન પર બેસી ગયો હતો, ત્યારબાદ ભારતીય ફિઝિયો તાત્કાલીક દોડીને મેદાન પર આવ્યા હતા અને તેની તપાસ કરી હતી. ત્યારબાદ પણ ઈશાન કિશનને બેટિંગ ચાલું રાખી હતી, પરંતુ તે લાહિરૂ કુમારાનો શિકાર બન્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube