દુબઈઃ ભારતીય અન્ડર-19 ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને રવિવારે સંપન્ન થયેલા વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર રવિ બિશ્નોઈ તે ત્રણ ભારતીય ખેલાડીઓમાં સામેલ છે જેને આઈસીસીએ અન્ડર-19 વિશ્વકપની ટીમમાં સોમવારે જગ્યા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ કપ વિજેતા બાંગ્લાદેશના કેપ્ટન અકબર અલીના નેતૃત્વમાં પસંદ કરાયેલી 12 સભ્યોની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન જયસ્વાલ અને લેગ સ્પિનર બિશ્નોઈ સિવાય ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીને સ્થાન મળ્યું છે. વિશ્વકપની 6 ઈનિંગમાં 133ની એવરેજથી 400 રન બનાવનાર જયસ્વાલને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. બિશ્નોઈએ આટલી મેચમાં 10.64ની એવરેજથી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 17 વિકેટ ઝડપી જ્યારે ત્યાગીએ 13.90ની એવરેજથી 11 વિકેટ ઝડપી હતી. 


U-19 WC: ICCએ બાંગ્લાદેશી ખેલાડીઓની આક્રમક ઉજવણીને ગંભીરતાથી લીધી છેઃ ભારતીય ટીમ મેનેજર

ટૂર્નામેન્ટની આઈસીસી અન્ડર-19 વિશ્વ કપ ટીમ (બેટિંગ ક્રમમાં)
યશસ્વી જયસ્વાલ (ભારત) ઇબ્રાહિમ જાદરાન (અફઘાનિસ્તાન), રવિંદુ રાસન્તા (શ્રીલંકા), મહમૂદુલ હસન જોય (બાંગ્લાદેશ), શાહદત હુસેન (બાંગ્લાદેશ), નૈમ યંગ (વેસ્ટ ઇન્ડીઝ) અકબર અલી (બાંગ્લાદેશ (વિકેટકીપર, કેપ્ટન), શફીકુલ્લા ગફારી (અફઘાનિસ્તાન) ), રવિ બિશ્નોઇ (ભારત), કાર્તિક ત્યાગી (ભારત), જાયદેન સીલ, (વેસ્ટ ઇન્ડીઝ) અકિલ કુમાર (કેનેડા) - 12 મા ખેલાડી


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર