Jay Shah On T20 World Cup Victory: ભારતીય ટીમે આશરે એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાને હરાવી ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. હવે બીસીસીઆઈ સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. હકીકતમાં જય શાહે ટી20 વિશ્વકપની ક્રેડિટ હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાને આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાથે બીસીસીઆઈ સચિવ જય શાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટી જાણકારી આપી છે. જય શાહે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર મોટી જાણકારી આપી છે. જય શાહે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે. 


ભારતના સૌથી સફળ કેપ્ટનને કેમ હતી બેટિંગ પહેલાં બેટ ચાવવાની આદત? જાણીને ચોંકી જશો


ટી20 વિશ્વકપ જીતી ભારતે 11 વર્ષથી આઈસીસી ટ્રોફી ન જીતવાના દુકાળનો અંત કર્યો હતો. આ ટી20 વિશ્વકપ પહેલા ભારતે એમએસ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પોતાના નામે કરી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમ ઘણીવાર આઈસીસી ઈવેન્ટની સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી પરંતુ સફળતા મળી નહીં.