નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન ચૂંટી લેવામાં આવ્યા છે. નવા ચૂંટાયેલા ચેરમેન જય શાહે મંગળવારે કહ્યું કે તે પોતાના કાર્યકાળમાં તે નક્કી કરશે કે ટેસ્ટ ક્રિકેટ રમતનો આધાર બને. આ સમય દરમિયાન તે 'ક્રિકેટની પ્રગતિમાં અવરોધરૂપ અવરોધોને દૂર કરવાનો' પ્રયાસ પણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2019થી બીસીસીઆઈ સચિવની ભૂમિકા નિભાવી રહેલા 35 વર્ષીય શાહ 62 વર્ષના ગ્રેગ બાર્કલે પાસેથી 1 ડિસેમ્બરે આ જવાબદારી સંભાળશે. તે આઈસીસીના સૌથી યુવા ચેરમેન હશે. ન્યૂઝીલેન્ડના બાર્કલેએ બે વર્ષના સતત ત્રીજા કાર્યકાળ માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો. 


બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં શાહે કહ્યું- ટી20 સ્વાભાવિક રૂપથી એક રોમાંચક ફોર્મેટ છે પરંતુ તે પણ એટલું મહત્વપૂર્ણ છે કે ટેસ્ટ ક્રિકેટ બધા માટે પ્રાથમિકતા રહે. આ આપણી રમતનો આધાર છે. આપણે તે નક્કી કરવું જોઈએ કે ક્રિકેટરોને લાંબા ફોર્મેટ તરફ આકર્ષિત કરવામાં આવે અને અમારો પ્રયાસ આ લક્ષ્ય તરફ કેન્દ્રીત હશે.



શાહે કહ્યું- હું મારા કાર્યકાળ દરમિયાન પ્રતિભા શોધવા માટે એક અલગ કાર્યક્રમ સ્થાપિત કરવાની દિશામાં કામ કરવા ઈચ્છીશ. હું આ કાર્યક્રમમાં તમારા સમર્થનની આશા કરુ છું.


શાહે વિશ્વભરમાં રમતના માપદંડોને ઉપર ઉઠાવવા પર ભાર આપ્યો હતો. તેમને કહ્યું- હું આઈસીસીના સભ્યો બોર્ડ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરું છું, જેણે આઈસીસીના અધ્યક્ષની આ પ્રતિષ્ઠિત ભૂમિકાને સંભાળવા માટે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. હું તમને વિશ્વાસ અપાવવા ઈચ્છુ છું કે હું દુનિયાભરમાં આપણી રમતના માપદંડને ઉપર ઉઠાવવા માટે હર સંભવ પ્રયાસ કરીશ.