ચંડીગઢઃ ભારતના મહાન સ્પ્રિન્ટર મિલ્ખા સિંહના ચંડીગઢમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ દરમિયાન ચંડીગઢના મટકા ચોક સ્થિત સ્મશાન ઘાટમાં કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂ, પંજાબના રાજ્યપાલ અને પંજાબના ખેલમંત્રી સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પહેલા પંજાબના મુખ્યમંક્રી કેપ્ટમ અમરિંદર સિંહે તેમને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપી હતી. મિલ્ખા સિંહના સન્માનમાં પંજાબમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 


મિલ્ખા સિંહે શુક્રવારે રાત્રે 11.30 કલાકે ચંડીગઝની પીજીઆઈ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષીય મિલ્ખા સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેમના પત્ની નિર્મલ કૌરનું પણ કોરોનાથી નિધન થયું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube