નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની ગાડી ઢાબામાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં અઝરુદ્દીન માંડ-માંડ બચી ગયા છે. જાણકારી પ્રમાણે આ દુર્ઘટના લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ પાસે થઈ હતી. 57 વર્ષીય પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવારની સાથે રણથંભૌર આવી રહ્યાં હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન કાર પર નિયંત્રણ ગુમાવી દીધુ અને ફૂલ મોહમ્મદ ચાર રસ્તા પાસે પલટી ગઈ હતી. આ દરમિયાન એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. દુર્ઘટના બાદ ડીએસપી નારાયણ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાણકારી પ્રમાણે મોહમ્મદ અઝહરુદ્દીન પરિવારની સાથે ન્યૂ યર સેલિબ્રેશન માટે સવાઈ માધોપુરના રણથંભૌર જઈ રહ્યાં હતા. 


Bye Bye 2020: સદી વગર કોહલીનું વર્ષ પૂરુ, 2020માં આ બેટ્સમેનોનો જોવા મળ્યો જલવો


અઝહરુદ્દીને 1990માં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તેમણે 1992, 1996 અને 1999ના વિશ્વકપમાં પણ ટીમનું નેતૃત્વ કર્યું હતું. અઝહરુદ્દીનની આગેવાનીમાં ભારતે 14 ટેસ્ટ અને 90 વનડે મેચ જીતી હતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube