નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ બાદ મોહમ્મદ શમી પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોની મદદ માટે આગળ આવ્યો છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં સામેલ થયેલા શમીએ સીઆરપીએફ વાઇફ વેલફેયર એસોસિએશનને શહીદોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયા આપ્યા છે. તેણે પાંચ લાખનો ચેક એસોસિએશનને સોંપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, જ્યારે અમે મેદાન પર દેશ માટે રમીએ છીએ, ત્યારે જવાન બોર્ડર પર ઉભા રહીને અમારી રક્ષા કરે છે. તેમણે કહ્યું કે, અમે જવાનોના પરિવારજનો સાથે છીએ અને હંમેશા સાથે રહીશું. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર