નવી દિલ્હી: IPL 2021નો એવોર્ડ જીતનાર ચેન્નાઈ સુપર કિંગ એ શનિવારે ચેન્ન્ઈમાં જશ્ન મનાવ્યો. આઈપીએલ પુરી થયા બાદ મહેન્દ્રસિંહ ધોની ટીમ ઈન્ડિયાની સાથે ટી20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પાછા ફર્યા, ત્યારે ચેન્નાઈ સુપર કિંગના મેનેજમેન્ટએ ભવ્ય જશ્ન મનાવ્યો હતો. તે દરમિયાન એમએસ ધોનીએ મોટા સંકેત પણ આપી દીધા છે.


એમએસ ધોનીએ અહીંના કાર્યક્રમમાં પોતાના ભવિષ્યને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી અને જણાવ્યું હતું કે તે પોતાની છેલ્લી ટી20 મેચ ચેન્નાઈમાં જ રમવા માંગે છે. ચેન્નાઈ સુપર કિંગના કેપ્ટને કહ્યું કે, મેં હંમેશા મારા ક્રિકેટનું પ્લાનિંગ કર્યું છે. મારી છેલ્લી ODI મેચ રાંચીમાં હતી, આશા છે કે મારી છેલ્લી T-20 મેચ ચેન્નાઈમાં હશે. તે આવતા વર્ષે થશે કે 5 વર્ષ પછી, તે ખબર નથી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube