હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સિઝનના ફાઇનલમાં પહોંચી ગયેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો કેપ્ટન રોહિત શર્મા પરિવાર સાથે ગુરૂવારે તિરૂપતિ ગયો હતો. ફાઇનલ મેચ રવિવારે (12 મેએ) રમાશે. રોહિત શર્મા પોતાની પત્ની રિતિકા સજદેહ અને પુત્રી સમાયરાની સાથે તિરૂપતિના વેંકેટેશ્વર મંદિરમાં દર્શન માટે ગયો હતો. 


મંગળવાર (7 મે)એ રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટથી પરાજય આપીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. બીજા ક્વોલિફાયર મુકાબલામાં આજે (10 મે)એ ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થવાનો છે, જે ટીમ જીતશે તે ફાઇનલમાં મુંબઈ સામે ટકરાશે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર