નવી દિલ્હીઃ મેજર ધ્યાનચંદના જન્મદિવસ અને રાષ્ટ્રીય ખેલ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ચ્યુઅલ  સેરેમરીનામા સ્પોર્ટ્સ એવોર્ડ આપ્યા હતા. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) સહિત 5 લોકોને આ વર્ષે દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ (Rajiv Gandhi Khel Ratna Award) આપવામાં આવ્યો છે. આ ખેલ પુરસ્કારના ઈતિહાસમાં પ્રથમવાર છે કે 5 લોકોને એકસાથે આ સન્માન આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્મા સિવાય મહિલા રેશલર વિનેશ ફોગાટ (Vinesh Phogat),  મહિલા હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ (Rani Rampal),  મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા (Manika Batra) અને પેરા એથલીટ મરિયપ્પન થેંગાવેલૂ  (Mariappan Thangavelu) નું 29 ઓગસ્ટે રાષ્ટ્રીય ખેલ દિવસ પર ખેલ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શર્મા આ સમયે આઈપીએલ માટે દુબઈમાં છે, તો વિનેશ ફોગાટ કોરોના પોઝિટિવ હોવાને કારણે આ સેરેમનીમાં સામેલ થઈ શકી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર