નવી દિલ્હીઃ ઈસ્ટરની તહેવાર પર શ્રીલંકાના ચર્ચ અને હોટલોમાં સીરિયલ વિસ્ફોટએ દેશને હલાવીને રાખી દીધો છે. આ બરબરતાભર્યા હુમલામાં ઓછામાં ઓછા 160 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થઈ જયા છે. વિશ્વભરમાં આ કાયરતા પૂર્વક ઘટનાની નિંદા થઈ રહી છે. રમત જગતે પણ દુખ વ્યક્ત કર્યું છે અને પીડિયો પ્રત્યે પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હુમલા પર સચિન તેંડુલકરે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, શ્રીલંકાના ઘણા ભાગોમાં થયેલા આતંકી હુમલા વિશે સાંભળીને દુખી છું. આ આતંકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરૂ છું. નફરત અને હિંસા ક્યારેય પણ પ્રેમ, દયા અને કરૂણાને નહીં જીતી શકે. 



ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતા લખ્યું, 'શ્રીલંકાથી આવી રહેલા સમાચારથી સ્તબ્ધ છું.' આ હુમલામાં પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. 



પૂર્વ ઓલિમ્પિક ખેલાડી અને ભારત સરકારમાં ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાઠોડે લખ્યું, આ દુખી ઘટના વિશે સાંભળીને સ્તબ્ધ છું. દુખની આ ઘડીમાં ભારત શ્રીલંકા સાથે છું. પીડિત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. 



શ્રીલંકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માહેલા જયવર્ધનેએ ટ્વીટ કર્યું, 'શ્રીલંકામાં આપણા બધા માટે આ ખુબ દુખ ભર્યો દિવસ છે.' શાંતિપૂર્ણ 10 વર્ષ બાદ અમે નિર્દોષ લોકો પર આવો અમાનવીય હુમલો જોયો છે. આ ઘટાની નિંદા અને પીડિયો પ્રત્યે દુખ વ્યક્ત કરવાની સાથે-સાથે આપણે શાંત અને એક રહેવાની જરૂર છે.