મુંબઈઃ કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની ત્રણ સભ્યોની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) એ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે રવિ શાસ્ત્રીને યથાવત રાખ્યા છે. સીએસીએ શુક્રવારે એક પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. પ્રારંભથી જ એવું અનુમાન હતું કે રવિ શાસ્ત્રી આ પદ પર ચાલુ રહેશે. વીન્ડિઝ પ્રવાસ જતાં પહેલા ટીમના કેપ્ટન વિરાટ કહોલીએ પણ શાસ્ત્રીને સમર્થન આપ્યું હતું. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....