Ravindra Jadeja Step Down as Captaincy: ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ આઇપીએલ 2022 સીઝનની અધવચ્ચે જ સીએસકે ટીમનું કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી છે. ત્યારે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની સીએસકે ટીમની કમાન સંભાળતો જોવા મળશે. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર બે મેચ જીતી શક્યું છે.


જો કે, આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા જ ધોનીએ સીએસકેના કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ જાડેજાને સીએસકે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પંરતુ આઇપીએલ 2022 માં સતત ખરાબ પ્રદર્શન અને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે ઝઝૂમી રહી છે જેના કારણે સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube