નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના પ્રવાસ બાદ ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે. જ્યાં ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. એટલે કે પસંદગીકારોએ જાડેજાના સ્થાને ટીમમાં નવા ખેલાડીને સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના પ્રવાસે જનારી ટીમમાં કેટલાક ફેરફાર કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહાર થયો રવિન્દ્ર જાડેજા
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ઈજામાંથી સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. એટલે કે ભારતીય પસંદગીકારોએ જાડેજાના સ્થાને શાહબાઝ અહમદને તક આપી છે. શાહબાઝ હવે ભારતીય ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસે જશે. નોંધનીય છે કે એશિયા કપ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. 


બાંગ્લાદેશ સામે ભારતીય વનડે ટીમઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, રિષભ પંત, ઈશાન કિશન, શાહબાઝ અહમદ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, કુલદીપ સેન.


વિશ્વકપમાં વધુ એક અપસેટ, જાપાને ચાર વખતની ચેમ્પિયન જર્મનીને હરાવ્યું


ઈન્ડિયા-એ (પ્રથમ મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન (કેપ્ટન), રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ. 


ઈન્ડિયા-એ (બીજી મેચ માટે) અભિમન્યુ ઈશ્વરન, રોહન કુન્નુમ્માઈ, યશસ્વી જાયસવાલ, યશ ઢુલ, સરફરાઝ ખાન, તિલક વર્મા, ઉપેન્દ્ર યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચાહર, જયંત યાદવ, મુકેશ કુમાર, નવદીપ સૈની, અતિત શેઠ, ચેતેશ્વર પુજારા, ઉમેશ યાદવ, કેએસ ભરત.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube