નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન સંજય બાંગર (Sanjay Bangar) ને બુધવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટીમ (IPL)  ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના આગામી સીઝન માટે બેટિંગ સલાહકાર તરીકે નિમવામાં આવ્યા છે. બાંગર 2014થી પાંચ વર્ષ સુધી ભારતીય પુરૂષ સીનિયર ટીમના બેટિંગ કોચ હતા, જ્યારે રવિ શાસ્ત્રી ટીમના ડાયરેક્ટર બન્યા હતા. તેમણે વિશ્વ કપ 2019 સુધી આ ભૂમિકા નિભાવી ત્યારબાદ તેમનું સ્થાન વિક્રમ રાઠોડ (Vikram Rathour) એ લીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય બેટ્સમેનોના વિદેશમાં ખરાબ પ્રદર્શનનું નુકસાન બાંગરે ભોગવવુ પડ્યુ હતું. વિશ્વકપ બાદ બાંગર (Sanjay Bangar) ને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી  (Ravi Shastri) અને બોલિંગ કોચ ભરત અરૂણ તો સામેલ રહ્યા પરંતુ બાંગરને સ્થાન ન મળ્યું. 


Video: ભારતની હારની આ PAK દિગ્ગજે ઉડાવી મજાક, ચેન્નાઈની પિચ પર કરી આ કોમેન્ટ


ભારત માટે 2001થી 2004 વચ્ચે 12 ટેસ્ટ અને 15 વનડે રમનાર 48 વર્ષીય બાંગર આરસીબીમાં નવી ભૂમિકામાં ફરી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સાથે જોડાશે. આરસીબીના ક્રિકેટ સંચાલન ડાયરેક્ટર માઇક હેસન અને મુખ્ય કોચ સાઇમન કેટિચ છે. આઈપીએલની 14મી સીઝન ભારતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં આયોજીત કરવામાં આવશે.


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube