નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019મા ટીમ ઈન્ડિયાએ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં થયેલા પરાજયથી ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા નિરાશ જોવા મળ્યો હતો. તો ધોની પણ દુખી થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિત શર્માએ વિશ્વ કપ 2019મા પાંચ સદી અને એક અડધી સદીની સાથે 648 રન બનાવ્યા હતા. પરંતુ સેમિફાઇનલમાં તે માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વ કપની એક સિઝનમાં પાંચ સદી ફટકારવાનો વિશ્વ રેકોર્ડ બનાવનાર રોહિત શર્મા મુંબઈ પહોંચી ચુક્યો છે. જ્યારે બાદી ટીમ હજુ ઈંગ્લેન્ડમાં છે. 


રોહિત શર્મા ટીમને છોડીને પહોંચ્યો મુંબઈ, હજુ પણ ટીમ ઈન્ડિયા છે ઈંગ્લેન્ડમાં 


આ પહેલા રોહિત શર્માએ ફેન્સ માટે એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો હતો. તે ભાવુક મેસેજમાં રોહિતે લખ્યું હતું કે, જ્યારે ટીમને સારૂ કરવાની જરૂર હતી ત્યારે અમે ન કરી શક્યા. 30 મિનિટની ખરાબ રમતને કારણે વિશ્વ કપની ટ્રોફી અમારાથી દૂર થઈ ગઈ હતી.