નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન મળી છે, રોહિત શર્માને વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્માને ટેસ્ટ ટીમનો વાઇસ-કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. એટલે કે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા અજિંક્ય રહાણેને ટેસ્ટમાં વાઇસ-કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. 


સાઉથ આફ્રિકાના પ્રવાસ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube