મુંબઈઃ ભારતની યજમાનીમાં વનડે વિશ્વકપ 2023 રમાઈ રહ્યો છે. જેમાં ભારતીય ટીમ પોતાનો સામનો મુકાબલો ગુરૂવાર (2 નવેમ્બર) એ શ્રીલંકા વિરુદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમશે. પરંતુ તે પહેલા મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિન તેંડુલકરના સ્ટેચ્યુનો અનુવરણ પોગ્રામ એક દિવસ પહેલા એટલે કે બુધવારે સાંજે આયોજીત કરવામાં આવ્યો હતો. સચિનની પ્રતિમા સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડની પાસે સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમા તેના જીવનના 50 વર્ષોને સમર્પિત છે. નોંધનીય છે કે સચિને એપ્રિલમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube